શંકરસિંહ વાઘેલા નું મોટું ચોકાવનારું નિવેદન / નારાજ થયેલા નીતિન પટેલ..
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન સમયે પણ મુખ્યમંત્રી બનવા માટે આશાવાદી રહેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તેમના પાડોશી અને જૂના મિત્ર ભુપેન્દ્ર પટેલ ને શુભેચ્છા આપવાનો સમય આવી જતાં તેમની નારાજગી છાની રહી ન હતી.
પરંતુ તેમને વધુ ઝટકો નો રિપીટ થિયરી થી લાગ્યો છે. જેમાં છેલ્લા 20 વર્ષથી થોડો સમય બાદ કરતા મંત્રી તરીકે રહેલા નીતિન પટેલ હવે રાજ્યના મંત્રીમંડળમાં નથી. તે નિશ્ચિત થઇ જતા તેઓ નારાજ થયા હતા.
ઇશારા ઇશારામાં શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો હતો કે, યુદ્ધ એ જ કલ્યાણ ભારતીય જનતા પાર્ટી નવા મંત્રી મંડળ રિપિટ થીયરી લાગુ કરી છે.
જે બાદ ઘણા સિનિયર નેતાઓ ના પત્તા કપાઇ ગયા છે. જો કે ભાજપના નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તે શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાનું વાયરલ થઈ રહ્યું છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું કે, આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આવે તો પોતાના જ પરિવારના કૌરવ સામે લડવું એ જ ધર્મ અને કર્મ છે.
આ ધર્મયુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો અર્જુન તારે નિસંકોચ યુદ્ધ કરવું પડશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!