રાજપીપળાના ટાઉનહોલ ખાતે આદિવાસી એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આદિવાસી સમાજને સંગઠિત થઈને પક્ષપાત થી દુર રહીને કોઈના પણ દબાણ નીચે ન આવીને સમાજના લોકોનું સારું થાય તે માટે પ્રયાસ કરવા જોઈએ.
સાથે જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી નેતા સામે પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, કોઇપણ પક્ષના આગેવાનો હોય પણ સમાજના કાર્યક્રમમાં આગળ આવવું જોઈએ.
સાથે જ તેમણે સમાજના રાજકીય આગેવાનોને ટકોર કરતાં કહ્યું હતું કે, તમારી પાર્ટી ફરીથી ટિકિટ આપે જે આપે પણ સમાજ માટે બોલો.
આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે, કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદો ખાલી લેબલ લગાડવા માટે લોકસભામાં જાય છે. લોકસભામાં કે વિધાનસભા ની અંદર આદિવાસી નું કોઈ સાંભળતું નથી.
સાથે તેમને જણાવ્યું હતું કે અડવાણી અને અટલજીએ કહ્યું હતું કે, કોઈ પ્રશ્ન હોય તો આદિવાસી સમાજના છે.
આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ મનસુખ વસાવા અંતમાં જણાવ્યું હતું કે, સત્ય વાત કહેવામાં મને કોઈનો ડર નથી.
કોંગ્રેસ અને ભાજપ અન્ય પાર્ટીના લોકો લોબિંગ કરે છે. ખોટા પ્રમાણપત્રો માટે રિઝર્વ સીટ પરથી જોડાયેલા છો તો સમાજના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!