સોનિયા ગાંધી લાંબા સમય બાદ સંભાળશે મોરચો, આ નેતાઓ આવશે એક મંચ પર

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત ના અન્ય વિપક્ષી દળોના નેતાઓને બેઠક માટે આમંત્રિત કર્યા છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર સામે ઊભા રહેવાના લઈને ચર્ચા કરવામાં આવશે, તેની સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે .જેથી સોનિયા ગાંધીનું આ પગલું મહત્વનું કહી શકાય.

એનસીપી નેતા શરદ પવાર તમિળનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એ પણ આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 20 ઓગસ્ટના રોજ સોનિયા ગાંધીએ આ બેઠક યોજશે.

જેમાં કેન્દ્ર સરકાર સામે લડવાની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. 15 વધારે વિપક્ષી દળોએ સંસદમાં મોનસુન સત્ર સમયે સરકારને વિરોધ કર્યો હતો. પેગાસસ જાસૂસી કાંડ, પેટ્રોલના ભાવ અને કૃષિ ઉપર ખેડૂતના આંદોલન જેવા મુદ્દાને લઈને સંસદમાં આ વખતે ભારે હોબાળો મચાવ્યો હતો.

જંતર મંતર ખાતે વિપક્ષી દળોએ સરકારની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાલે લોકસભા ની કામગીરી નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલાં સ્થગિત કરવામાં આવી હતી. સાથે જ ભારે વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે શિવસેનાના સંજય રાવલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિપક્ષ એકજૂટ છે. 20 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે, અને મહત્ત્વના મુદ્દે ચર્ચા કરશે તેમાં ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થવાના છે.

તેમજ કોંગ્રેસ ની યોજના વિપક્ષને એક કરવાની છે. જેથી 2024 ની ચૂંટણી તેઓ ભાજપ નો સામનો કરી શકે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *