સુત્રો / ગુજરાતના રાજકારણમાં હલચલ, આવતીકાલે PM મોદી પોતે આવશે, જાણો..

ગુજરાતના રાજકારણમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રીમંડળની રાજકારણમાં હલચલ થઇ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના મંત્રીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. રૂપાણી સરકારમાં 22 મંત્રીઓ હતા, જે બધા જ મંત્રીઓને ઘરભેગા કરી દેવાની થિયરી સામે આવી હતી.

જે બાદ સૂત્રો પાસેથી માહિતી અનુસાર પીએમ મોદી પોતે ગુજરાત આવી શકે છે, અને પીએમ મોદીની હાજરીમાં જ નવા મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવી શકે છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને બનાવવાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવ અને બી.એલ.સંતોષને આપવામાં આવી છે. ત્યારે ગઇકાલે સતત બેઠકોનો દોર યથાવત છે.

એવામાં આજે જે શપથ ગ્રહણ નક્કી કરવામાં આવ્યો હતો, તેને હવે ટાળી દેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ ને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. તથા ભાજપ દ્વારા મીડિયામાં સામે કોઇ જ માહિતી આપવામાં આવી નથી.

ત્યારે હવે પીએમ મોદી પોતે ગુજરાત આવશે તેવી શક્યતા હોય એ જોર પકડ્યું છે. અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે.

15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *