જામનગરના આ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ખેડૂતોમાં ખુશીની લહેર..

આ વર્ષે સોયાબીનના ભાવ મારે કોઈ પણ વધારો જોવા મળી રહ્યો છે. સોયાબીનના ભાવ આ વર્ષે આસમાને પહોંચી ગયા છે. સોયાબીનના ભાવ માં દરરોજ 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જામનગરના એપીએમસી માર્કેટ યાર્ડમાં 1000 થી લઈને 1335 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સોયાબીન નો ભાવ 1091 થી લઈને 1351 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

અમરેલીના માર્કેટ યાર્ડમાં સોયાબીન નો ભાવ 1160 થી લઈને 1332 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીન નો ભાવ 1000 રૂપિયાથી લઈને 1384 રૂપિયા પહોંચી ગયો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં સોયાબીન નો ભાવ માં નહિવત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે,

અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે

અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *