ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નિવેદન : સ્કૂલ ફી બાબતે શું કહ્યું, જાણો.
ઓનલાઇન શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું, ઓનલાઇન શિક્ષણ તરફ સરકારે વિચારવું જોઈએ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ઓનલાઇન શિક્ષણ તરફ સરકારે વિચારવું પડશે. રાજ્ય પાસે ઓનલાઇન શિક્ષણ ની સંપૂર્ણ સુવિધા છે, આ સાથે ફી મુદ્દે પણ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચર્ચા કરી હતી. FRC દ્વારા તમામ શાળાની ફી નક્કી થાય અને મહામારીમાં રાજ્ય સરકારે વાલીઓને રાહત આપી હતી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડા દિવસ અગાઉ શાળા ખોલવા ના મુદ્દે નિવેદન આપ્યું હતું.
થોડા દિવસો અગાઉ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, આજથી ધોરણ 9થી 11 ના વર્ગો શરૂ કરવામાં આવશે, સાથે જ ત્યારે મહામારી ના કેસ કાબુમાં આવ્યા હતા. તે માટે બીજા વર્ગો પણ શરૂ કરવામાં આવી શકે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ તેમજ ધોરણ 12 ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે હવે વર્ગો પણ શરૂ થઇ ગયા છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં ક્યાંકને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા બીજા પણ વર્ગો શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે, અને બેઠકો યોજાઈ રહી છે અને આ મુદ્દે ચર્ચા વિચારણા થઈ રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!