સી.આર.પાટીલ નું નિવેદન / વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠક જીતવાનો લક્ષ્યાંક, AAP અને કોંગ્રેસ શું..

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટું નિવેદન આપ્યું. સીઆર પાટીલે જણાવ્યું કે, ગુજરાતની તમામ 182 બેઠકો પર ભાજપ જીતશે તેવો લક્ષ્યાંક છે. ત્યારે આપણી પાસે સવા વર્ષ નો સમય છે. જે દરમિયાન ખૂબ જ મહેનત કરવાની છે. સી.આર.પાટીલે ચૂંટણીલક્ષી અને ચૂંટણીમાં જીતવા અંગે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું કે, એક વર્ષથી પાર્ટી એ નક્કી કર્યું છે કે, સહકારી ક્ષેત્રમાં તમામ ચૂંટણી આપણે લડવાની છે.

આ સાથે સીઆર પાટીલે સોશિયલ મીડિયામાં નિષ્ક્રિય રહેતાં નેતાઓને ટકોર કરતાં જણાવ્યું કે, હજુ પણ કેટલાક નેતાઓ એવા છે જેઓ ના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નથી.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મને પૂછ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું લક્ષ્યાંક છે ? ત્યારે જવાબ આપતા કહ્યું કે 182 બેઠક જીતવાના લક્ષ્યાંક છે.

આ સાથે જ પાટીલે પેજ કમિટી અને પ્રમુખ સહિતના નેતાઓ અને ધારાસભ્યોને સક્રિય કરવાનો આદેશ આપ્યો હતો.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને જન આશીર્વાદ યોજનાઓ પણ શરૂ કરી છે તેમજ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *