જયેશ રાદડિયા નુ મોંઘવારી પર નિવેદન / ગુજરાતમાં સીંગતેલ અને કપાસિયા તેલનો ભાવ ક્યાંના ક્યાં…

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ વધારા પર મંત્રી જયેશ રાદડિયાને નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું કે, ગુજરાતમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધારિત છે. ગરીબોને સસ્તું તેલ મળે તે માટે સરકારના પ્રયાસો યથાવત છે. ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી થાય છે. જેના માટે બજેટમાં 71 લાખ NSFA લાભાર્થીઓ માટે જાહેરાત કરાઈ હતી.

તહેવારો પર લોકોને તેલ મળી રહે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા હતા. તમામ જગ્યા પર સંતુલન રાખી ને સરકાર કામ કરી રહી છે, અને જે લોકો સંગ્રહખોરી કરી રહ્યા છે. તેની સામે કડક પગલાં લેવામાં આવશે તેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. તેની સાથે ચેતવણી કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ આપી છે.

તહેવારો આવતા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

કપાસિયા તેલના ભાવ :
જૂના ડબ્બા ના ભાવ 2420 , નવા ડબ્બાના ભાવ 2470
સિંગતેલના ભાવ :
જૂના ડબ્બા ના ભાવ 2510, નવા ડબ્બાના ભાવ 2560

રાજ્યમાં સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ ના ભાવ ઊંચા ગયા છે. ખાદ્યતેલના ભાવ ટૂંક સમયમાં ઘટવાની શક્યતા નથી. એડિબલ ઓઇલ ફેડરેશનના ચેરમેન દ્વારા આ અંગે જણાવ્યું છે કે, શ્રાવણ માસના તહેવારો પર રાહત મળવી અઘરું છે.

સરકારની નીતિઓને કારણે ભાવ બેકાબુ બન્યા છે. ખાદ્યતેલમાં આવશ્યક ચીજવસ્તુ ધારો હવે લાગુ થયો નથી. સંગ્રહખોરી પર અંકુશ થયો નથી. મોટી કંપનીઓના હાથમાં ટ્રેડની લગામ નથી.

દિવસેને દિવસે તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને તેના ભાવ આસમાને પહોંચ્યા છે. સાથે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *