દેશમાં મોદી સરકાર દ્વારા બનાવવામાં આવે ત્રણ કૃષિ કહેતા ની સામે મહિનાઓથી ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આઠ-નવ મહિનાથી દિલ્હીની ધણી બોર્ડર બંધ છે અને રાકેશ ટિકૈતની આગેવાનીમાં ખેડૂત આંદોલન હવે જુદા જુદા રાજ્યોમાં જઈ રહ્યું છે. એવામાં ફરીવાર આંદોલનને ધાર આપવા માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર સામે 27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. લખનઉમાં ખેડૂત દ્વારા યોજવામાં આવેલ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં આ આંદોલનને મોટું કરવા માટે ખેડૂત હવે ટ્રેડ યુનિયન યુવા સંગઠન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને વેપાર સંગઠન કામ કરતા કર્મચારીઓના સંગઠન સાથે પણ વાતચીત કરવામાં આવશે.
ખેડૂતોએ કહ્યું કે, લાંબા સમય બાદ ખેડૂતોએ આ પ્રકારના આંદોલન કરી રહ્યા છે. ભારત બંધ ઐતિહાસિક હશે. સંયુક્ત કિસાન મોરચા એ દેશના તમામ સંગઠનને સહયોગ કરવા માટે અપીલ કરી છે.
કે ખેડૂતોએ કહ્યું કે, અમે ગામડે ગામડે જઈશું અને ભારત બંધ માટે રણનીતિ બનાવીશુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા હરિયાણામાં ખેડૂતો પર કરવામાં આવેલા લાઠી ચાર્જ ના વિરોધમાં કરનાર ખેડૂતો દ્વારા મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અને મીની સેક્રેટરીયટ ને પણ ઘેરી લેવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ હતી કે, કરનારના એસડીએમ ને હટાવી દેવામાં આવે જો કે આવું કરવા માટે હરિયાણા સરકાર તૈયાર નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!