AAPએ મોટી જાહેરાત કરી, ભાજપ અને કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી હતી તો અન્ય રાજકીય પક્ષો તરફથી એક્શન મોડ માં આવ્યા  છે.

અમદાવાદમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન કરીને ગયા ત્યારે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા, અને રાજ્યની જનતા પરેશાન છે. તેવી વાત કહી હતી તો આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીની આ રીતે ગુજરાતમાં એન્ટ્રીના પગલે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે.રાજ્યમાં હવે 2022 ની વિધાનસભા ની ચૂંટણી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ ચૂંટણી કવાયત શરૂ કરી દીધી છે.

ગાંધીનગરમાં વિપક્ષ નેતા ના ઘેર 2022 ની ચૂંટણીને લઈને બેઠક કરવામાં આવશે, જેમાં ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પૂર્વે સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રણનિતી ઘડવામાં આવશે.

નવા સંગઠનને મંથન કરવામાં આવશે. માહિતી અનુસાર તાલુકા અને શહેર સ્તરે સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવશે સંગઠનમાં ત્રણ વર્ષથી વધુ સમયથી રહેલા નેતાના પતા કપાશે અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના સામાજિક જૂથવાદ જોવા મળી રહ્યું છે. ઠાકોર નેતાઓ બાદ હવે આદિવાસી નેતાઓની બેઠક મળી રહી છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પણ બેઠક કરી નવા સંગઠનમાં આદિવાસી સમાજને યોગ્ય ન્યાય મળે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *