આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, CM રૂપાણી એ આપ્યું મોટું નિવેદન
આ વખતે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા સંકેત મળી રહ્યા છે. પરંતુ હવે વહેતી થયેલી અટકળો પર રોક લાગી ગઈ છે. ગુજરાતમાં આગામી સમયમાં 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે અનેક અટકળો વહેતી થઇ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે.
આ વખતે ચૂંટણી વહેલી યોજાય તેવા સંકેત પણ મળ્યા હતા, પરંતુ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એક જાહેર સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે નહીં પરંતુ ચૂંટણી રાબેતા મુજબ યોગ્ય સમયે જ યોજાશે.
મહત્વનું છે કે 2022માં વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રાજકીય પક્ષ સક્રિય થયા છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી પણ આ વખતે ગુજરાતની રાજનીતિ માં તૈયારીઓ કરી રહી છે, અને તમામ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી ચૂકી છે.
તો બીજી તરફ અસરુદ્દીન ઓવેસી તેમજ અન્ય પક્ષ પણ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશતા રાજકારણ ગરમાયું છે.
તો બીજી તરફ કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે, પરંતુ હવે મુખ્યમંત્રી રૂપાણી ને પોતાના નિવેદનમાં સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, વિધાનસભાની ચૂંટણીઓ રાબેતા મુજબ યોજાશે. જેને લઇને આ વખતે રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળોનો અંત આવી ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!