ગુજરાતના મંત્રીઓની વિભાગની ફાળવણી બાદ આજે લેવાશે, સૌથી મોટો નિર્ણય

ગુજરાતમાં નવી સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી પટેલ તથા અન્ય કેબિનેટ મંત્રીઓ એક્શનમાં દેખાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કામ કરી બતાવવાનો પડકાર છે. ત્યારે આજે કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્યમાં નવી સરકારમાં મંત્રીઓને ખાતાની વહેંચણી પહેલીવાર કેબિનેટ બેઠક નુ આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં મંત્રીઓ પાસેથી કામ અંગે રીવ્યુ લેવામાં આવશે. વરસાદની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે થોડા દિવસ પહેલાં જ વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું હતું.

ત્યાં થયેલા નુકશાન અંગે પણ રિપોર્ટ રજુ કરવી નિર્ણય લેવામાં આવશે. રાજય સરકારના મોટા નિર્ણયો ની વાત કરવામાં આવે, તો ધોરણ 1 થી 5 ની શાળા શરૂ કરવાને લઈને મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

આ સિવાય મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્તમાન નિયમોના ફેરફાર કરવામાં પણ મહત્વના નિર્ણય લેવાય આવી શકે છે.

ગુજરાતના મંત્રીઓ વિભાગની ફાળવણી બાદ સૌપ્રથમ રાજ્યમાં સરકાર ની બેઠક મળશે. ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકમાં મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *