વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓમાં..
ભારતમાં સૂર્યમુખીનું તેલ માટે રશિયા અને યુક્રેન ઉપર નિર્ભર કુલ આયાત 90 ટકા માલ બંને દેશમાંથી આવે છે. જેથી લઈને સૂર્યમુખીનું તેલ સહિત સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પામ ઓઇલ અને સોયાબીન તેલ પછી સૂર્યમુખીના તેલમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં તેલીબિયાં અપૂરતા ઉત્પાદનને કારણે ભારતીય ખાદ્ય તેલના કુલ માગ 60% હિસ્સો બહારથી મંગાવવા પડે છે. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સીંગતેલ કપાસિયા તેલ અને સૂર્યમુખીના તેલમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેથી ગૃહિણીઓને ઘરનું બજેટ ખોરવાયું છે.
દેશમાં આશરે 23 મિલિયન ટન ખાદ્યતેલ વાર્ષિક માંગ છે. આ વેપાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. કે રશિયા અને યુક્રેન વચ્ચે અન્ય સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો બંદરો વગેરે પરથી વેપારની ગતિવિધિ ઘટી શકે છે.
જેથી તેલ અને સોયાબીન તેલ પર નિર્ભરતા વધી શકે છે. આ બંને તેલની પુરવઠા પહેલેથી જ નબળો છે. મધ્યમ વર્ગની મુશ્કેલીઓ માં એક પછી એક વધારો થતો જોવા મળી રહ્યો છે.
મહામારી ના સમયમાં આર્થિક મહામારી ના કારણે સામાન્ય જનતાને ખૂબ મોટો માર પડ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે મળતી માહિતી અનુસાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.
કપાસિયા તેલ સીંગતેલ અને પામોલીન તેલ ના ભાવ વધ્યા છે. એક જ દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 20 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!