સૌથી મોટા સમાચાર / જાણીતા પાટીદાર અગ્રણી ભાજપમાં નહીં પરંતુ જોડાશે આપમાં, રાજકારણ ગરમાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા અને જાણીતા બિલ્ડર કલ્પેશ પટેલ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા યોજાઈ હતી.
તે દરમિયાન મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે અરવિંદ કેજરીવાલ સાથે કલ્પેશ પટેલ ની મુલાકાત થઈ હતી. ત્યારબાદ કલ્પેશ પટેલ ની આમ આદમી પાર્ટીમાં છોડાવવાની અટકળો તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં પક્ષ પલટાનો દોર ચાલી રહ્યું છે. જેને લઇને તમામ પાર્ટીઓ પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે એડીચોટીનું જોર કરી રહ્યું છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષ દ્વારા પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરાઇ છે. તેની માટે બેઠકો, સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ગઈકાલે ગોપાલ ઇટાલીયા, આપને નેતા ઈશુદાન ગઢવી અને રાજકોટ આપ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ રોડ શોમાં જોડાયા હતા. ખુબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો આ યાત્રામાં જોડાયા હતા. ત્યારે મહેસાણામાં રોડ શો દરમિયાન કેજરીવાલે સરકાર પર પ્રહાર કર્યા હતા.
મહેસાણામાં રોડ શો દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી એ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ જાણકારી મળી રહી છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!