સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી ને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન, આ નેતા…
ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા પછી ભાજપ અને મુખ્યમંત્રી બનશે તેની અટકળો ચાલી રહી હતી. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોવાનું કહેવાય છે. નીતિન પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવતા નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે, તેવા સંકેત મળી રહ્યા હતા. પરંતુ ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી તરીકે નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ.
નીતિન પટેલના ભવિષ્ય અંગે સવાલ પૂછતા સીઆર પાટીલે કહ્યું આગામી બે-ત્રણ દિવસમાં મંત્રીમંડળ અંગે નિર્ણય કરીશું.
સી આર પાટીલ ના નિવેદન સાથે નીતિન પટેલના સરકારી રાજકીય ભવિષ્યનો ગુજરાતના રાજકારણમાં થી અંત આવ્યો છે. ગુજરાતને ફક્ત નવા મુખ્યમંત્રી મેળવ્યા છે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ ની પર વિદાય થઈ ગઈ છે.
લાંબા સમય સચિવાલય સાથે જોડાયેલ નીતિન પટેલને સચિવાલય યાદ કરશે તે ચોક્કસ છે. નીતિન પટેલને મંત્રીમંડળમાં ન સમાવે તો રાજ્યપાલ બનાવે તેવી આશંકા છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, નીતિન પટેલના સાથે નિવૃત્તિ આપવામાં નહીં આવે તેમને કોઈપણ રાજ્યના રાજ્યપાલ તરીકે ઓફર આપવામાં આવશે.
અગાઉ પણ તેમને નામની રાજ્યપાલ તરીકે ચર્ચા ઉઠી હતી. પરંતુ જ્યારથી નીતિન પટેલે ગાંધીનગરમાં હિન્દુત્વનું નિવેદન આપ્યું
ત્યારથી તેઓ દેશ અને રાજ્યની મીડિયામાં ચર્ચાના ચકડોળે આવી ગયા હતા. ત્યારે હવે નીતિન પટેલની મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે કારકિર્દીનો અંત આવ્યો તે નક્કી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!