ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આ દિગ્ગજ નેતા ની કરાઈ વરણી, કોંગ્રેસે પણ આપ્યો ટેકો.
પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રાજીનામું આપ્યા બાદ હવે મહેસુલ અને કાયદા મંત્રી તરીકેનો હવાલો સંભાળ્યો છે. ત્યારે હવે વિધાનસભા નું પદ ખાલી પડ્યું છે. એવામાં આગામી વિધાનસભા ના અધ્યક્ષ ના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય બને તેવું મનાઇ રહ્યું છે.
એ મહત્વનું છે કે, રાજેન્દ્ર ત્રિવેદી દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવને ચેમ્બરમાં પહોંચ્યા હતા. અને નવા અધ્યક્ષની નિમણૂક બાબતે સચિવને નામ આપે તેવું મનાઇ રહ્યું છે.
એ મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નું નામ ફાઇનલ હોવાનુ ચર્ચામાં આવી રહ્યું છે. આ નામ તરીકે નીમાબેન આચાર્ય નું નામ સચિવ સમક્ષ મુકવામાં આવનાર છે.
જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ નું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન થવાની છે.
તેમાં અધ્યક્ષ પદ પર નીમાબેન આચાર્ય અને જેઠા ભરવાડ નું ફોર્મ ભરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વિધાનસભા ના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંતભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે.
28 સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે.
કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ, ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષ બનવાનું નક્કી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!