ગુજરાત ના મંત્રી મંડળ નો અંતિમ નિર્ણય હવે PM મોદી અને અમિત શાહના હાથમાં, આ દિગ્ગજ નેતા ના નામ યાદીમાં..
હવે ચાણક્ય ના હાથમાં ગુજરાતની બગડેલી બાજીગુજરાતના નવા મંત્રીમંડળના લઈને મોટી ઉથલપાથલ થઇ રહી છેગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સરકારની અંદરોઅંદર ઉથલપાથલનો દોર શરૂ થયો છે. રાજ્યના નવા મુખ્ય મંત્રી મળી ગયા છે. ત્યારે નવા મંત્રીઓની માટે તૈયારી ચાલી રહી છે. રાજ્યમાં નવા મંત્રીઓ માં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે અને પૂર્વ મંત્રી રહી ચૂકેલા એ કઈ ને ફરીથી મંત્રી બનાવવામાં નહીં આવે.
ત્યારે આજનો શપથ ગ્રહણ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલા લેતા નારાજ હોવાનું કારણ સામે આવી રહ્યું છે.
એવામાં ગુજરાતની બગડેલી બાજી હવે ભાજપના ચાણક્ય ના હાથમાં રહેશે. હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદી અંતિમ નિર્ણય લેશે. ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવ અને બી. એલ સંતોષ અને આ શપથ ગ્રહણ ની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.
પરંતુ આ વખતે ભાજપ માં લોકોની નારાજગીને કારણે ભૂપેન્દ્ર યાદવ પર ડેમેજ કંટ્રોલ કરી શક્યા નહીં છેવટે સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચી ગયો હોવાનું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
હવે ગુજરાતના મંત્રીમંડળ ને લઈને છેલ્લો નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ કરશે સાથે-સાથે મહત્વનું છે કે, કેન્દ્રના મોટાભાગના નેતા અને મોદી ખાસ વિશ્વાસુ ભૂપેન્દ્ર યાદવ સતત આ મુદ્દા પર હે કમાલ ના સંપર્ક માં છે.
અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે. 15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો.
પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!