પાટીદાર સમાજની મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ, ત્યાર બાદ પાટીદાર સમાજના અગ્રણીઓએ આપ્યું મોટું નિવેદન..

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ પાટીદાર અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજતી હતી. જેમાં સી.કે.પટેલ, બાબુ ભાઈ જમનાદાસ પટેલ, જયરાજ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર અનામત પરત ખેંચવા મામલે પણ બેઠક ચર્ચા થઈ હતી.

14 કેસ એવા છે કે, જેમાં સરકાર ચર્ચા કરશે બાદ નિર્ણય લે છે. 14 કેસ સિવાય કેસ પરત ખેંચવા સરકાર હકારાત્મક છે. નિગમ અને આયોગના બજેટ વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા પરિવારને નોકરી માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સી કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે બધા સમાજના અગ્રણીઓ તેમજ ગઈકાલે વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ ના બીજા 15 નવી સંસ્થાઓ કે, જે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે.

તે સંસ્થાઓ અગ્રણીઓ પણ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખ છે કે, વિધાનસભાની ચૂંટણી અધિકારી રહી છે. ત્યારે દરેક સમાજ દ્વારા બેઠકોનું આયોજન કરી પોતાના સમાજ માટે અલગથી માંગણી કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ સક્રિય થયું છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *