આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, વિપક્ષી નેતાએ સરકારને ઘેરવાની બનાવી રણનીતિ
• સંસદના બંને ગૃહોને સંબોધશે પીએમ મોદી
• મહામારી મુદ્દે પીએમ મોદી કરી શકે છે માહિતગાર
• બંને ગૃહના નેતાઓને સંબોધશે પીએમ
મહામારી ના મુદ્દા પર એક પ્રેઝન્ટેશન થઈ શકે છે રજુ, મહામારી ના મામલે સરકાર પર વિપક્ષ પાર્ટીઓ હાવી છે.. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારી ના મામલે સરકારની કામગીરીની પ્રશંસા કરતા આવ્યા છે. આજ કડીમાં પીએમ નરેન્દ્ર મોદી ૨૦ જુલાઇએ સંસદના બંને ગૃહોમાં તમામ પક્ષના નેતાઓને સંબોધશે અને મહામારીની સ્થિતિ પર એક પ્રેઝન્ટેશન રજૂ કરશે.
સંસદનું ચોમાસુ સત્ર પહેલાં રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે તમામ મુદ્દે ચર્ચાની પણ તૈયારી દર્શાવી હતી, સાથે જ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, પી એમ બંને ગૃહમાં સભ્યોને ૨૦ જુલાઇએ સંબોધિત કરશે અને મહામારી પર ચર્ચા કરશે.
આ મુદ્દાઓ પર વિપક્ષ કરી શકે છે રણનીતિ
બીજી તરફ વિપક્ષ પાર્ટીઓ સરકાર નો ઘેરાવો કરવાની તૈયારીઓ કરી રહી છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, મહામારી ના સમયે અવ્યવસ્થા અને વેક્સિન ની અછત મામલે વિપક્ષ પાર્ટીઓ સરકાર નો ઘેરાવો કરી શકે છે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે
સંસદમાં હોબાળા ના અણસાર સાથે 31બિલ લાવવાની તૈયારી પણ જણાઈ રહી છે. આજથી શરૂ થનારું સંસદનું ચોમાસું સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં વિપક્ષ અનેક મોટા મુદ્દાઓને લઈને સરકાર સાથે ચર્ચા કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!