આ સમાજે સરકાર સામે ચડાવી બાયો, ચૂંટણી નજીક આવતાં જ ફરી થયા સક્રિય
આદિવાસી રાઠવા સમાજ એ જાતિના દાખલા વિવાદ ફરી એકવાર આંદોલન સ્વરૂપ ધારણ કર્યું છે. રાઠવા સમાજ એ ભાજપ-કોંગ્રેસના સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી રાઠવા સમાજ ની જ્ઞાતિ પર આદિવાસી હોવા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે આજે રાઠવા સમાજ દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. મોટાભાગના રાઠવા જાતિના લોકો રેવન્યુ કાર્ડ પર અન્ય જાતિનો ઉલ્લેખ થી ગૂંચવણ ઊભી થાય છે.
જેના વિરોધમાં આજે ફરી સમાજની નીતિ સામે વિરોધ આંદોલનની દિશા જોઈ રહ્યા છે. વિરોધ પક્ષ ના નેતા સુખરામ રાઠવા,
નારાયણ રાઠવા ભાજપ જિલ્લા સંગઠન મંત્રી શંકર રાઠવા સહિતના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી જિલ્લા છે.
અને તેમાં સૌથી વધુ રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે. અહીંથી ભાજપના લોકસભાના સંસદ ગીતાબેન રાઠવા છે. અને કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય નારાયણભાઈ રાઠવા તેમજ જિલ્લાના ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે ધારાસભ્યો પણ રાઠવા જ છે.
તેથી સમજી શકાય છે કે, અહીં વાંચવા જાતિનો કેટલું પ્રભુત્વ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગેના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!