રાજ્ય સરકાર દ્વારા ચણાના પાક ની ટેકાના ભાવે ખરીદી શરૂ, મણ દીઠ સરકાર આપશે આટલા હજાર રૂપિયા
રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે વધુ એક કૃષિ લક્ષી નિર્ણય લીધો છે. જે મુજબ રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 માં ચણા ની ખરીદી કરશે. આ અંગેની જાહેરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની ટેકાના ભાવ 125 માં ચણા ની ખરીદી કરશે.
રાજ્યની ખેડૂતોની માંગણી અને રજૂઆતો પ્રત્યે કૃષિમંત્રી હકારાત્મક અભિગમ દાખવ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રવી સીઝનમાં ચણાનું વાવેતર થવાથી
ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાનમાં લઈને અગાઉથી જ સજાગ દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ આપવા કટિબદ્ધ દાખવીને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી 125 મંત્રણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યના કૃષિ મંત્રી રૂબરૂ દિલ્હી જ રાજ્ય મા થયેલા ચણાના મબલક પાક ની ઉત્પાદનના ધ્યાનમાં લઈને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી હતી.
એટલું જ નહીં તેઓ ને સારા એવા ભાવ મળી રહે તે માટેના પ્રયત્નો પણ કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદી થાય
તે માટે પ્રયત્નો કર્યા જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પચાસ હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવાની મંજૂરી આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાંથી ખરીદવાના થતા 46501 ના કારણે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ધારણ કરેલ જમીન ની મર્યાદામાં વિધે બાર મણ લેખે 125 મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!