રાજકારણમાં ખળભળાટ / આ આંદોલનના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય હર્ષદ રિબડીયા, કરી આ મોટી જાહેરાત
વિસાવદરમાં બંધ થયેલી તમામ ટ્રેનો પુન શરૂ કરવા માટે બેથી ત્રણ વખત જનરલ મેનેજર ભાવનગર તથા મુંબઈ ચર્ચા ખાતેની પશ્ચિમ રેલવે વિભાગ તથા છેલ્લે રેલવે બોર્ડના ચેરમેન રજૂઆત કરી બંધ થયેલી તમામ ટ્રેનો મહામારી ના કારણે બંધ છે. તે ચાલુ કરવા માટે માંગણીઓ કરેલી છે. અને છેલ્લા અમુક ચોક્કસ મુદ્દાની આરટીઆઈ દ્વારા માંગણી પણ કરેલી
એમ છતાં રેલવે તંત્રે કોઈ બાબતે સહકાર નહીં આપતા જુદા-જુદા શહેરો તથા સીટોમાંથી પણ રજૂઆત કરવામાં આવી હોવા હોવા છતાં રેલવે તંત્ર ટ્રેન શરૂ નહીં કરતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ આંદોલનમાં વિસાવદર ભેસાણા ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વડોદરિયા, જોષી તથા પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઈલિયાસભાઈ તથા
ગબ્બરની વિવિધ ટીમ સુરત, અમરેલી, નવસારી, ગીર, સોમનાથ, જૂનાગઢ અને અન્ય તમામ સંસ્થાઓએ પણ ટેકો જાહેર કરી ઉપવાસ ઉપર ઉત્તર ના તમામ સાથે હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
વિસાવદરમાં ટ્રેન પ્રશ્નના જન આંદોલનમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ સમર્થન આપ્યું છે. વિસાવદરમાં બંધ થયેલ તમામ ટ્રેનોને પુનઃ ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છતાં
પણ હજુ સુધી શરૂ કરવામાં ન આવતા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેને હર્ષદ રિબડિયા સમર્થન આપ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!