ગુજરાતમાં વેક્સિન ના ઉત્પાદન ને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કરી જાહેરાત
ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વિટ કરી જાણકારી આપી છે કે, હવે ગુજરાતમાં મહામારી ના વેક્સિન ઉત્પાદન જલ્દીથી કરવામાં આવશે. ભારત સરકારે વેક્સિન ના ઉત્પાદન માટે મંજૂરી આપતા હવે મનસુખ માંડવિયા જણાવ્યું કે, ભારત બાયોટેક કોવેક્સિન ઉત્પાદન ગુજરાતમાં અંકલેશ્વરમાં કરવામાં આવશે.
ગુજરાતમાં થશે ભારત બાયોટેક નું ઉત્પાદન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો કે, ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારી ને નાથવા માટે ગુજરાતમાં જ કોરોના નું ઉત્પાદન હાથ ધરવામાં આવશે તે મહત્ત્વનું મનાય રહ્યું છે.
મહત્વનું છે કે, મહામારી ના સંક્રમણ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ પણ ભારતમાં મહામારીના કેસ જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં હજુ પણ મહામારીની ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ વેક્સિન ઉત્પાદન થતાં ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ભરૂચ અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેક વેક્સિન ઉત્પાદન થશે.
જો ગુજરાતમાં મહામારીની કેસની વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19કેસ સામે આવ્યા છે. તેની સામે 17 દર્દીએ મહામારી ને મહાત આપી છે.
જેને પગલે રાજયનું રિકવરી રેડ 98.75 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં 28,208 કેસ નોંધાયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!