ભાજપના આ દિગ્ગજ નેતા એ પાર્ટી સામે વ્યક્ત કરી નારાજગી, કહ્યું ભાજપના નેતાઓના ડરથી..
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાર્ટીના કાર્યક્રમ પહેલાં ભાજપના બે જૂથ વચ્ચે ગજગ્રાહ બહાર આવ્યો છે. પાર્ટીના કાર્યકરના સંકલનની બેઠકમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા હતા અને તેમણે બેઠક પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મોકરીયા કહ્યું હતું કે રાજકોટના કેટલા કાર્યકર્તાઓ મારા બંગલા રજૂઆત કરવા આવતા ડરે છે તેમણે કહ્યું હતું કે, રાજકોટ શહેર ભાજપના નેતાઓના ડરથી તેઓ મારી પાસે રજૂઆત કરવા આવતા નથી.
રામ મોરખીયા એ કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ કોઈના થી ડરવાની જરૂર નથી. કાર્યકર્તાઓ પક્ષની હિંમત છે તેમના આ નિવેદનથી શહેર ભાજપના નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા.
રામભાઈ મોકરીયા ના સંદર્ભમાં આ વાત કરી હતી તે ચર્ચા ચાલી રહી છે. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સિનિયર નેતા નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા હતા.
સાંસદ સી.આર.પાટીલ આ કાર્યક્રમના સંકલનની બેઠકમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા એ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સૌ પાર્ટીના જવાબદાર કાર્યકર્તાઓ છે તેથી કોઈ કોઈને મળશે તો બીજાને દુઃખ લાગશે, તેવી મનોવૃત્તિ છે તે પણ ત્યાં જવાની જરૂર છે. આ રીતે પોતાના સંબોધનમાં એકી સાથે અનેક સંદેશાઓ આપી દીધા હતા.
અને શહેર ભાજપના નેતાઓએ પણ આ અંગે મોકરીયા ના વિધાનોને ગંભીરતાથી લીધા હતા. રામભાઈ મોકરીયા એ પોતાના પાંચ-સાત મિનિટ ના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ હવે નિયમિત રીતે કાર્યાલયની મુલાકાત લેશે અને સૌની સાથે રાખીને કામ કરશે.
તેવી પણ ખાતરી આપી હતી અને પક્ષના કોઈ પણ કામ માટે તેઓ સતત ઉપલબ્ધ રહેશે તેવું પણ જણાવ્યું હતું કે, આમ રાજકોટ શહેર ભાજપમાં હવે મોકલ્યા ની વધેલી સક્રિયતા પણ સૂચક છે. મોકરીયા ના આ આ વિધાનની શહેર ભાજપમાં ચર્ચા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!