નવા સીએમ ને લઈને ભાજપના દિગ્ગજ નેતા એ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે..

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, નેતૃત્વ પરિવર્તનથી રાજ્યને કોઈ અસર નથી થવાની એટલે ભલે મુખ્યમંત્રી બદલાયા પરંતુ રાજ્ય પર તેની કોઈ ગંભીર અસર નહીં પડે, તેવું જોશી દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ જીતશે. તેમાં કોઈ બે મત નથી. વધુમાં તેમણે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશે જણાવતા કહ્યું કે, તેઓ લો પ્રોફાઇલ ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતી શકે તેવા મુખ્યમંત્રી છે.

કોણ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર વિશે નીતિન પટેલને મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ મારા સૌથી નજીકના મિત્ર છે.

જેથી મારી નારાજગી ની વાત ખોટી છે. સાથે જ નીતિન પટેલે કહ્યું હતું કે પાર્ટીએ મને જવાબદારી આપી ને મોટો કર્યો છે.

સમગ્ર મામલે નીતિન પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લીધા બાદ એવું કહ્યું હતું કે, અમે હવે સાથે મળીને કામ કરીશું.

ઉપરાંત તેમને ભૂપેન્દ્ર પટેલે પોતાના મિત્ર ગણાવીને કહ્યું કે તેમને સલાહ સુચન આપવાની મારી ફરજ છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તાઓ માટે હું હંમેશા સાથે ઉભો છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *