માત્ર ત્રણ ચોપડી ભણેલા આ 75 વર્ષના દાદા પુસ્તકો વાંચવાનો અનોખો રસ, અત્યાર સુધી દાદા એ ખેતી કરતા કરતા 7,000 થી વધારે પુસ્તકો વાંચ્યા.
ખેડૂતોનું નામ પડે એટલે આપણા મનમાં પાવડા ગામ અને બળદ વચ્ચે ઘેરાયેલા વ્યક્તિનું ચિત્ર દેખાતું હોય છે. ત્યારે આજે આપણે એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છે જેવો ખેતી કરતા એવું કામ કરીને ખૂબ નામ કમાયું છે. જે સાંભળીને તમે પણ તેને સલામ કરશો આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેઓ માત્ર ત્રણ ધોરણ ભણેલા છે અને 75 વર્ષ ઉંમર સુધીમાં તેઓએ 7,000 થી વધારે પુસ્તકો વાંચ્યા છે.
આ દાદા નું નામ ઉકાભાઇ વઘાસીયા છે ઉકાભાઇ વઘાસીયા ને શ્રેષ્ઠ ભાવક તરીકેનું સન્માન પણ મળ્યું છે. ત્યારે આજે આપણે દાદા વિશે કેટલીક અનોખી વાત કરવા જઈ રહ્યા છીએ.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આંબવડ ગામમાં રહેતા 75 વર્ષના ઉકાભાઇ વઘાસિયા તેમના પુસ્તક પ્રેમને કારણે ખૂબ જ ગુજરાતમાં જાણીતા બન્યા છે. દાદા ને વાંચવાનો એટલો શોખ હતો કે તેમનું આખું ઘર પુસ્તકાલયમાં પરિવર્તન થઈ ગયું હતું.
દાદાના રૂમમાં બાલ્કની માં, માળિયામાં અને ખાટલા પલંગની નીચે પણ પુસ્તકો જોવા મળે છે. દાદાએ અત્યાર સુધીમાં જુદા જુદા વિષયની 75 હજારથી વધારે પુસ્તકો વાંચી લીધા છે. ઉકાભાઇ વઘાસિયા નો જન્મદિવસ 1947 મા થયો હતો.
તેઓએ આંબાવડમાં શરૂ થયેલી પ્રાથમિક શાળામાં સૌપ્રથમ નિશાળ્યા તરીકે એડમિશન લીધું હતું. ત્યારબાદ તેઓ માત્ર ત્રણ ચોપડી જ ભણ્યા હતા. માત્ર ત્રણ ચોપડી ભણ્યા હોવા છતાં ઉકા દાદાએ અત્યાર સુધીમાં વાર્તાઓ નવલકથા, નવલિકા, કવિતા, આત્મકથા વગેરે સાહિત્ય વિવિધ શેઢા પર એમણે વાંચન ખેડાણ કર્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!