કૃષિ કાયદા બાદ આ મુદ્દે પણ ખેડૂતો સામે મોદી સરકાર ઝૂકી, લેવાયા આ મોટા નિર્ણય

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર MSP ને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. કૃષિ કાયદા અંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું તેને રદ કરવા માટેનું બીલ શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ સાથે તેમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકની વિવિધતા, ઝીરો બજેટ ફાર્મિંગ,

એમએસપી સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા અને તેનાથી સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરશે.

મંત્રીએ કહ્યું કે ખેડૂતોના સંગઠનોએ પરાળ બાળવાને ના મુક્ત બનાવવાની માંગણી કરી હતી. જેને કેન્દ્ર સરકારે સ્વીકારી છે ઋષિ કાયદાના વળતર અંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, અમને દુઃખ છે કે ખેડૂતો કૃષિ કાયદા ના ફાયદા વિશે સંગઠનોને સમજાવી શક્યા નથી.

કૃષિ મંત્રીએ કહ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય બાદ આંદોલન નો કોઈ મતલબ નથી રહેતો. તેમણે કહ્યું કે, ખેડૂતોએ પીએમ મોદીની અપીલ માની ઘરે પાછું ફરવું જોઈએ.

પરાળ સળગાવવાનો કેસ નહીં ચાલે. કેસ અને વળતર અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે. એમએસપી અંગે ટૂંક સમયમાં એક સમિતિની પણ રચના કરવામાં આવશે.

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાને લઈને નિવેદન આપ્યું છે, તેમને જણાવ્યું કે તેને રદ કરવા માટેનું બીલ શિયાળુ સત્ર પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *