કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લઈને આપ્યું મોટું નિવેદન…
બ્રિજનાં કામો ચાલી રહ્યા છે જેને લઇને લોકોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગોકળગાયની ગતિએ ચાલી રહેલા બ્રિજના કા મુદ્દે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા એ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ માં ચાલતા જૂથવાદ ને કારણે જ બ્રિજનાં કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. તેવા આક્ષેપો લગાવ્યા છે.
રૂપાણી સરકારમાં શરૂ થયેલા બ્રિજનાં કામો નવા સીએમ ભુપેન્દ્ર પટેલ જલ્દીથી પૂરા નહીં કરે તો ભાજપનો જૂથવાદ જવાબદાર ગણાશે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા જણાવ્યું હતું.
જેમાં અધિકારીઓની પણ અણઆવડતને લીધે ટ્રાફિકની ગણતરી કે ટ્રાફિક ડાઈવરઝેશન ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
ગોંડલ રોડ પર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાયા હોવાથી પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી ટ્રાફિક ક્લિયર કરાવવો પડયો હતો.
જેને પહેલા પોલીસમાં ભરતી થવા આવેલી બે બહેનો દ્વારા અન્ય સ્થળે ટ્રાફિકજામ દૂર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું
જે વાહન પસાર થાય તેના માટે તંત્ર જવાબદાર ગણાવી પડે. હાલ લોકોમાં ચર્ચા છે કે, ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે, અને રૂપાણી સરકારે શરૂ કરેલા તમામ પ્રોજેક્ટ્સ ભુપેન્દ્ર પટેલની સરકાર કદાચ ટલે ચડાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!