ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળી શકે છે આ દિગ્ગજ નેતા, દિલ્હીમાં યોજાયેલી બેઠક
ગુજરાત કોંગ્રેસ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સૂત્રના જણાવ્યા અનુસાર ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હી કોંગ્રેસ ના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી હતી.
ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે બે કલાક સુધી મીટીંગ ચાલી હતી, મળતી માહિતી અનુસાર રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ત્યારે 2022 ની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે, તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કમર કસીને તૈયારી શરૂ કરી દીધી છે.
જેને લઇને અગાઉ પણ કોંગ્રેસના ધારાસભ્ય અને સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી. તે બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યની આ બાબતે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
2022 ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે, તેમજ ગુજરાતમાં કોંગ્રેસની એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022 ની ચૂંટણી માટે સંગઠન માં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે.
ત્યારે હવે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા અંગે હાઈ કમાન્ડ નિર્ણય કરે તેવી માંગ ઉઠી હતી. ધારાસભ્યોની આ બેઠકમાં પ્રશાંત કિશોર ને પણ ગુજરાત કોંગ્રેસ ની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ પણ કરી હતી, તો જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર મોટી જવાબદારી સોંપી શકે છે, તેવું મનાઇ રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!