આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલાં દિગ્ગજ નેતાઓ ના પ્રવાહ, ભાજપમાં ધીરુ ગજેરા ના જોડાવાથી ઓછો થશે ખરો !
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આગોતરી તૈયારી માં પડ્યું છે, પણ ગુજરાતના સૂરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષની કમાન સંભાળી છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આપનું નેતૃત્વ વધારવા માટે વધારે ને વધારે લોકોને જોડી રહ્યા છે.
ઈશુદાન ગઢવી ની આગેવાનીમાં અન્ય લોકો પણ સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે અહીં જ્ઞાતિવાદ કરતા જનતાને મહત્વ અપાઇ રહ્યું છે, પણ સુરતની વાત કરવામાં આવે તો અહીં મહેશ સવાણી જેવા સામાજિક અગ્રણીઓ જોડાયા છે. ત્યારે સુરત અને સૌરાષ્ટ્રના પાટીદારો સાથે સીધો સંપર્ક ધરાવતા ધીરુભાઈ ગજેરા હવે તા. ૨૪મી જુલાઈએ ભાજપમાં જોડાશે.
નોંધનીય છે કે ધીરુભાઈ ગજેરા વર્ષ 2017ની ચૂંટણી પહેલા 2012,2007 ની ચૂંટણીમાં લડ્યા હતા.
કોંગ્રેસમાં આવ્યા બાદ સતત પરાજયનો સામનો કરતા રહ્યા હતા અને વર્ષ 2017માં ચૂંટણી જીતી શકાય તેવી સ્થિતિ હતી, છતાં કોંગ્રેસ હારી જતાં છેવટે ગજેરાને કોંગ્રેસ પર થી ભરોસો ઊઠી જતાં તેમને વર્ષ 2017 ના પરાજય પછી કોંગ્રેસના તાત્કાલિક પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે જ નિવેદનો કરીને છેવટે કોંગ્રેસ છોડી દીધી હતી.
સુરતમાં આપ ના વધી રહેલા કદ સામે આગામી 2022 ની ચૂંટણીમાં પાટીદાર મતો ભાજપ માટે પણ મહત્વના સાબિત થવાની છે, અને તેમાં પણ મહેશ સવાણીએ આપમાં જોડાતા સૌરાષ્ટ્રના લેવા ઉ પાટીદાર માટે ધીરુ ગજેરા મહત્વના સાબિત થવાની આશા સાથે ભાજપે શતરંજનો દાવ અજમાવ્યો છે.
કારણકે, ધીરુભાઈ ગજેરા સુરતના રાજકારણનું મોટું માથું છે. એક સમયે તેઓ ભાજપના સદસ્ય હતા હવે તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!