ભાજપમાં પડ્યા બે ફાટા / પાટીલ અને રૂપાણી આમને-સામને, ચૂંટણી પહેલા ભાજપને મોટું નુકસાન થવાની સંભાવના

રાજકોટમાં યોજના-2 કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેવાના હતા. પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહેવાના હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું હતું.

અચાનક સી.આર.પાટીલે પ્રવાસ રદ કર્યો હતો. બીજા કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારના સંમેલન હતું. આ કાર્યક્રમ દ્વારા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના એક મંચ ઉપર લાવવાના છે.

કાર્યક્રમમાં વિવિધ રાજવી પરિવારના સદસ્ય ઉપસ્થિત રહેવાના હતા. પણ આ કાર્યક્રમમાં પણ સી.આર.પાટીલે હાજરી નહીં આપે તેવું જાણવા મળ્યું હતું. લાગી રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં બે ફાંટા પડ્યા હોય વિજય રૂપાણી અને સી.આર.પાટિલ આમને-સામને જોવા મળી રહ્યા છે.

કારણ કે, સી.આર.પાટીલ ના કાર્યક્રમ રદ થવાને કારણે સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે કે, વિજય રૂપાણી અને સી.આર.પાટિલ ને બગાડ્યું છે. જેના કારણે વિજય રૂપાણી હાજર રહેવાથી સી.આર.પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં.

તેવી જાણકારી મળી રહી છે. આ જાણકારી સુત્રો દ્વારા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત કબજે કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ કરીને ભાજપને સૌરાષ્ટ્ર કબજે કરવા માટે અલગ-અલગ કાર્યક્રમ યોજી મત મેળવવા માટે એડીચોટીનું જોર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ શો કરી લોકો સુધી પહોંચી રહી છે. સાથે સાથે કોંગ્રેસની વાત કરીએ તો તે પણ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *