કોંગ્રેસના બે દિગ્ગજ નેતા હાર્દિક પટેલ અને ભરતસિંહ આમને-સામને, જાણો શા માટે..
ગુજરાતમાં હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના નિવેદન સામે હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સામે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વિરોધના સૂર જોવા મળ્યા છે.
હાર્દિક પટેલે આ પોસ્ટના માધ્યમથી કોંગ્રેસના નેતાઓના જાતિના આધારે મત માગવાનું બંધ કરવાનું કહ્યું છે. હાર્દિક પટેલે પોસ્ટ કરીને લખ્યું હતું હું, તમારા જેટલો અનુભવી નથી.
પરંતુ એક યુવા પેઢી તરફથી આપ સૌને નિવેદન કરી રહ્યો છું કે, પ્રદેશનું નેતૃત્વ જાતિના આધારે માગવાનું બંધ કરો ગુજરાત આપણા સૌની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે.
મારા જાતિના મુખ્યમંત્રી તારા જાતિના મુખ્ય મંત્રીની વાત કરી કર્મભૂમિ નું અપમાન ના કરવું જોઈએ. કોઈએ કીધું મને પાટીદારો મુખ્યમંત્રી હોવો જોઇએ. કોઇ એ કીધુ ઠાકોરનો, કોઈએ કહ્યું આદિવાસી, તો કોઈએ કહ્યું દલિત પરંતુ ગુજરાત માંગે છે.
ગુજરાતના મુખ્યમંત્રી મેં પહેલાં પણ કીધું હતું કે, કોઈપણ સમાજના મુખ્યમંત્રી ગુજરાતના અન્ય દુઃખી સમાજનું કામ ના કરતો હોય તો તે મુખ્યમંત્રી કોઈ કામ નથી. આપણે એવો મુખ્યમંત્રી જોઈએ છે.
તમામ સમાજ અને ખાસ આપણા મહાન ગુજરાતના સૌ લોકોનું ભલું કરી શકે. આ નિવેદન સ્વીકાર્ય પક્ષ ના નેતા ઓ હવે બધા જાતિ ધર્મ ની વાત બંધ કરી. ખેડૂતો યુવાનો અને મહાન ગુજરાતના લોકોની વાત કરશે એવી આશા રાખું છું.
મહત્વની વાત છે કે, ભરત સોલંકી એક નિવેદન આપ્યું હતું. તમે ખૂબ રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. સાથે સોલંકી તેમના નિવેદનમાં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનવાની માગણી કરી હતી. પક્ષના જ બે મોટા નેતાઓ વિરોધાભાસી નિવેદન સામે આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!