ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી, જાણો બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યત્વે ઓબીસી અને અન્ય અનામતના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેમને જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ આ બેઠકમાં હાજરી આપશે. ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓની મોટી રાહત આપવામાં આવી છે.
શુક્રવારે બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની બેઠકમાં ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે સરકારી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે.
આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપી છે. હાલમાં સરકારી સેવા ગ્રુપ C અથવા ગ્રૂપ D ના કર્મચારી ના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને સરકારી સેવામાં નિમણૂક આપવામાં આવે છે.
પરંતુ હવેથી રાજ્ય કેબિનેટ ગ્રુપ A અને ગ્રુપ B ના અધિકારીઓના કિસ્સામાં પણ આ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.મહામારી ના સમયે ઘણા અધિકારીઓ ના મૃત્યુ બાદ અધિકારીઓના સંગઠનો તરફથી માંગ કરવામાં આવી હતી કે, તેમના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે છે.
જેથી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, કેબિનેટની બેઠકમાં આશા કામદારોના પગાર 15000 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યું છે, તેનાથી 71000 આશા વર્કરો અને ફાયદો થશે. આ માટે અંદાજે 275 કરોડ રૂપિયા બજેટમાં સામેલ કરવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!