વજુભાઇ વાળા અને સી.આર.પાટીલ આવશે એક મંચ પર, ચૂંટણી પહેલા મોટી હલચલ

રાજપૂત સમાજ દ્વારા એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ નું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેશભક્તિ ડાયરાનું પણ આયોજન કરાયું છે. તેમજ તાજેતરમાં ગામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા નવનિયુક્ત સરપંચોનો પણ સન્માન કરવામાં આવશે.

સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજ દ્વારા ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અને તાજેતર માં કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયેલા વજુભાઈ વાળા નું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

આ સન્માન સમારોહ વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કચ્છના સાંસદ અને પ્રભારી મહામંત્રી વિનોદ ભાઈ ચાવડા

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ડાયરામાં કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી ના રાષ્ટ્ર ભક્તિ ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સાંજે 4:00 આયોજન કાર્યક્રમ સમગ્ર કચ્છ માંથી રાજપૂત સમાજ લોકો ઉપસ્થિત રહેશે. રાજપૂત સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સમયે દેશભક્તિ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ તાજેતરમાં ગામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચને સન્માનિત કરવામાં આવશે. હાલમાં જ કર્ણાટક રાજ્ય પર પદેથી નિવૃત્ત થયેલા વજુભાઈ વાળાને પણ સન્માનિત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *