નવરાત્રી અને ગણેશોત્સવ ને લઈને વિજય રૂપાણી નું મોટું નિવેદન, જાણો મંજૂરી મળશે કે નહીં !
સમગ્ર દેશમાં મહામારીની સ્થિતિ ખૂબ જ વધી હતી, ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઇ હતી. જેને કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એટલે લોકો પૂરતી સારવાર અને નિદાન અને અપૂરતી સુવિધાના કારણે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે તમામ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મૂક્યા હતા.
ત્યારે હવે મહામારી ના કેસ ધીમેધીમે ઘટી રહ્યા છે. જેને કારણે રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે મહામારીને કારણે ગરબાનું આયોજન રહી શક્યું ન હતું.
પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રી દરમિયાન રાસ ગરબા તમામ કાર્યક્રમોને મંજુરી આપવા માટે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે ગાયક કલાકારો નું બેન્ડ બાજા અને ડીજે કલાકારો જાહેર કાર્યક્રમો યોજે છે,
એવી છૂટ આપતો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.આ તમામ કાર્યક્રમોમાં 400 વ્યક્તિની મર્યાદાથી યોજી શકાશે. આ તમામ કાર્યક્રમોમાં 400 વ્યક્તિની મર્યાદા રાખવામાં આવી છે.
એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિ ના કાર્યક્રમ યોજના સરકારે મહામારી ના નિયમ અનુસાર મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગ પરિપત્ર બહાર પાડ્યો છે.
જેમાં જાહેરમાં યોજવામાં આવતા કાર્યક્રમમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજવામાં આવતા કાર્યક્રમમાં ક્ષમતાના 50 ટકા અને મહત્તમ ચારસો લોકોની મર્યાદા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આપવામાં આવેલી મંજૂરીને એ આપોઆપ ગણેશોત્સવ તથા નવરાત્રી કાર્યક્રમને પરવાનગી મળી ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!