નવરાત્રી ને લઈને વિજય રૂપાણી નું મોટું નિવેદન, રાજ્યમાં નવરાત્રી થશે કે નહીં જાણો ?
સમગ્ર દેશમાં મહામારીની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં મહામારી ના કેસ ઘટી રહ્યા છે. તો હવે રાજય અનલોક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગયા વર્ષે મહામારીને લઈને ગરબા રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અત્યારે ગુજરાત રાજ્યમાં મહામારી ના કેસ ઘટી રહ્યા છે, ત્યારે રાજ્યમાં જનજીવન પહેલાની જેમ ફરી થી રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. આ સાથે રાજ્યમાં ધીમે ધીમે રોજગાર અને ધંધો શરૂ થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આગામી નવરાત્રી ને લઈને મહત્વના નિર્ણય લીધા છે.
ત્યારે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે, આગામી દિવસોમાં શેરીમાં શેરીમાં નવરાત્રી રમવાની છૂટ આપવામાં આવી છે.પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રાખવાનું નક્કી કર્યું છે.
આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ વખતે નવરાત્રી પાર્ટી પ્લોટ ,જાહેર મેદાન, ક્લબમાં ગરબા રમવા માટેની મંજૂરી કે છૂટછાટ આપવામાં આવશે નહીં
આ ઉપરાંત આ વખતે આયોજકો દ્વારા પણ મોટી નવરાત્રિનું આયોજન કરવાનું બંધ રાખ્યું છે. તેઓએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ વખતે નવરાત્રી ન કરવાનો નિર્ણય લીધો છે.
આમ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી ને લઈને થોડી છૂટછાટ આપવામાં આવી છે, અને તેના પર આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વખતે નવરાત્રિની ઉજવણી શેરીઓમાં કરવામાં આવશે. પરંતુ જાહેર સ્થળો પર ઉજવણી કરવામાં આવશે નહીં.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!