ભવિષ્યમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ની ભાજપમાં શું ભૂમિકા રહેશે ? આ નેતાએ તે અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ લીધા છે ત્યારે રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી શપથ વિધિમાં હાજર રહેવા માટે ભાજપના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાત આવ્યા છે ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે અનેક જવાબ આપ્યા હતા.

રાજ્યમાં નવું નેતૃત્વ લાવવાનો નિર્ણય કેન્દ્રીય નેતાઓ અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મળીને લીધો હતો. જેનો અર્થ એ નથી કે, વિજય રૂપાણી નિષ્ફળ રહ્યા છે.

તેમણે પાંચ વર્ષ સુધી પ્રમાણિક પણે સરકાર ચલાવી છે. મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સારું કામ કર્યું છે અને લાંબા સમય સુધી સંગઠનમાં રહ્યા છે.

2022 ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપનું પ્રદર્શન કેવું રહેશે ? તે બાબતે પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ગઇ વખતે અમે જે પ્રદર્શન કર્યું તેના કરતાં વધારે સારું પ્રદર્શન કરીશું.

સીઆર પાટીલે કહ્યું હતું કે, ગુજરાતની દરેક 185 બેઠક પર ભાજપ જીતશે તો એ શું શક્ય છે ? જેનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને જે જવાબ આપ્યો તે કંઈ ગણતરી કરીને આપ્યુ હશે.

આ પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય પ્રહલાદ વિશે જણાવ્યું હતું કે, નવા વ્યક્તિને લાવવા એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. ભાજપમાં નવા નેતૃત્વને તૈયાર કરવાની એક આગવી પ્રક્રિયા છે.

અમારી પાર્ટી એવું નથી થતું કે, મુખ્યમંત્રી નો પુત્ર જ મુખ્યમંત્રી બને ધારાસભ્ય. અને ભાજપના સામાન્યમાં સામાન્ય કાર્ય કરતા પણ ઉચ્ચ પદ પર પહોંચી શકે છે. આના માટે સૌથી મોટું ઉદાહરણ ગુજરાતમાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *