એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા માટે 25000 લઈને માં મોગલના ચરણે આવ્યા, ત્યારે મણીધર બાપુએ એવું કહ્યું કે..

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ 18 વર્ષના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી.

તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,

જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે. એક યુવક રાજકોટ થી પોતાની માનતા પૂરી કરવા માટે 25000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા કબરાઉધામ મા માં મોગલ ના મંદિરે આવી પહોંચ્યા હતા.

તેમનું કહેવું છે કે, મા મોગલ પર વિશ્વાસ રાખ્યો કે મારી માનતા પૂર્ણ થતા ની સાથે જ મા મોગલના ચરણે 25000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું. ત્યારે આ યુવકે પોતાની માનતા માની હતી કે 25000 રૂપિયા માં મોગલ કામ પૂર્ણ કરશે કે, તરત જ મા મોગલના ચરણમાં અર્પણ કરવા આવશે.

કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા ની સાથે 25000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપતા કહ્યું કે, આ પૈસા તું તારી બહેન અને તારા ફઈને પાંચ પાંચ હજાર એમ કરીને આપજે, મા મોગલ એ તારી 101 ગણી માનતા સ્વીકારી .

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *