ભાજપે પાટીદાર પર મદાર મૂકી, ત્યારે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન
આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સામાજિક સમીકરણો સાધી રહેલા બન્ને પક્ષો ઉત્તર ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઓબીસી સમાજને એક તાંતણે બાંધવાના પ્રયાસો કરી રહ્યા છે. 2022 વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઇની નજર છે કારણ કે, ગુજરાતની ચૂંટણી ની દેશભરમાં અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં ભાજપ જ્યાં એક તરફ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલી રહ્યું છે. તો સામે પક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસી કાર્ડ ની રણનીતિ તરફ આગળ વધી રહ્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે આવી રહી છે. ત્યારે ભાજપે પાટીદાર મુખ્યમંત્રી બનાવીને એક મોટો મેસેજ આપ્યો છે. તો કોંગ્રેસ પણ ઉત્તર ગુજરાતની ધરા પર થી સામાજિક ચેતનાના નામે રાજકીય ધ્રુવીકરણ ના પ્રયત્ન શરુ કરી દીધા છે.
છેલ્લા બે ત્રણ અઠવાડિયામાં કોંગ્રેસે ઉપર છાપરા બે ઓબીસી સામાજિક કાર્યક્રમો યોજી હુંકાર ભરી દીધો છે કે, પાછળ પાટીદાર રાજનીતિ સામે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ માટે તૈયાર છે.
ભરતસિંહ સોલંકીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પાટીદારને મુખ્યમંત્રી બનાવી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે. ત્યારે કોંગ્રેસે ઓબીસી રાજનીતિ કરી
કરણના પ્રયત્નમાં જોવા મળી રહી છે. તેવામાં આ પ્રકારની રાજનીતિ માં કેટલી સફળતા મળવાના ચાન્સ છે, કોંગ્રેસ ખામ થિયરીના રસ્તે જઈ રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!