નરેશ પટેલ જ્યાં જોડાશે, ત્યાં કોળી સમાજ અને દરેક સમાજ સમર્થન કરશે, આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતના રાજકારણમાં અત્યારે વધારે હલચલ જોવા મળી રહ્યા છે. નરેશભાઈ કયા પક્ષમાં જોડાયા છે, જેને લઇને અનેક હલચલો જોવા મળી રહી છે. કાગવડમાં શ્રી વીર મંધાતા ગ્રુપ ના અગ્રણીઓએ બેઠક પૂર્ણ કરી છે. સૌરાષ્ટ્રમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણી બનેલા ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના છે.

તો ઘણા મહિનાઓથી ચર્ચાએ વેગ પકડ્યો છે તેની વચ્ચે રાજકોટ કાગવડ ખોડલધામ આજે કોઈ સમાજના શ્રી વીર માંધાતા ગ્રુપ ના 50 થી વધુ હોદ્દેદારોએ નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.

જેમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવા થોડો સમય આમ તેમ થઈ શકે છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દરેક સમાજ સાથે રહીને ગુજરાતને આગળ લાવે પ્રથમવાર કાગવડમાં સામાજિક સંગઠનની મહત્વની બેઠક.

અને જ્યારે બીજી તરફ કોળી સમાજના શ્રી વીર માંધાતા ગ્રુપ ના રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશભાઇ પટેલને અમારો પૂરો સાથ છે અને સહકાર છે. અમારી નરેશભાઈ પટેલ સાથે સારી બેઠક થઇ હતી.

જેમાં વિવિધ સામાજિક પ્રશ્નો પર ચર્ચા વિચારણા થઇ હતી. તેમને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશવા ના સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, સારા માણસને રાજકારણમાં આવવું જોઈએ.

બીજી તરફ શ્રી વીર માંધાતા ગ્રુપ ના રાજુભાઈ સોલંકી એલાન કર્યું હતું કે, નરેશભાઈ જોડાશે ત્યાં કોળી સમાજ અને દરેક સમાજને સમર્થન કરશે. કોંગ્રેસના ધારાસભ્યએ નરેશભાઈ ને ખભે બેસાડી ચૂંટણી લડવાની તૈયારીઓ પણ દર્શાવી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *