મુખ્યમંત્રી નરેશ પટેલ હોય કે હાર્દિક પટેલ CM કોંગ્રેસનો હોવો જોઈએ, આ દિગ્ગજ નેતા આપ્યું મોટું નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દરેક પક્ષ ના નેતા ઓ અત્યારથી જ પોતાના પ્રચાર શરૂ કરી દીધો છે. હાલમાં ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જેને વચ્ચે કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વીય કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાતચીત વાતચીત કરી હતી.
તેઓએ નરેશ પટેલ અને હાર્દિક પટેલ ને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકભાઈ CM બને છે કે, નરેશ પટેલ CM બને કોઈ વાંધો નથી. CM માત્ર કોંગ્રેસના જ બનવા જોઈએ તેવું જણાવ્યું હતું.
હું ચૂંટણી લડીશ કે નહિ એ કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરશે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલને પહેલા હું મળ્યો હતો. મેં ક્યારેય નરેશ પટેલનો વિરોધ કર્યો નથી.
આ સાથે હાર્દિક પટેલ નારાજગી અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હું કોઈને મારો વ્યક્તિગત અભિપ્રાય આપતો નથી. તમારે પૂછવું હોય તો હાર્દિક ભાઈ ને પૂછી લેજો મને કોઈ ફરક નથી પડતો.
હાર્દિકભાઈ CM બને કે નરેશ પટેલ હું તો ઈચ્છું છું કે CM તો માત્ર કોંગ્રેસ નો જ બનવો એજ અમારું ધ્યેય છે. હું ચૂંટણી લડી શકે નહીં તે તો સમય જ બતાવશે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
તેમજ હાઈ કમાન્ડ પ્રશાંત કિશોર સાથે વાતચીત કરી રહ્યું છે. જેમાં પ્રશાંત કિશોર પણ લોકશાહી મજબૂત કરવાની વાત કરી રહ્યા છે. જોકે જે પણ થયું તે આપ જાણો છો.
હાલ હું પ્રશાંત કિશોર ને મળતો રહેવાના છે. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ કરતા ભાજપ માં વધુ ફાટા છે આ વખતે ભાજપ માંથી 40 થી 50 ધારાસભ્ય ટિકિટ નહીં મળે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!