પેટ્રોલ ને GST હેઠળ લાવવામાં આવશે કે નહીં, સીતારમને આપ્યું નિવેદન.
પેટ્રોલ અને ડીઝલ ને જીએસટી હેઠળ નહિ લાવવામાં આવે. સરકારે સોમવારે લોકસભામાં તેની માહિતી આપી હતી. પેટ્રોલિયમ રાજયમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જીએસટી કાઉન્સિલ એ તેલ અને ગેસ જીએસટી હેઠળ લાવવા માટે કોઈ ભલામણ કરી નથી.
સદનમાં ઘણા સભ્યોએ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડા અને પેટ્રોલિયમ પદાર્થોનો ને જીએસટી હેઠળ લાવવા પર સવાલ કર્યા હતા. જેના પર મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, અત્યારના સમયે પેટ્રોલીયમ પદાર્થોની જીએસટી હેઠળ લાવવાની કોઈ યોજના નથી.
નાણામંત્રાલય જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ પર એક્સાઇઝ ડયૂટી વસૂલવામાં આવે છે. આ એક્સાઇઝ ડ્યુટી નો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામ માટે થાય છે. વર્તમાન સમયમાં રાજકોષીય હાલત જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ વસ્તુ પર જીએસટી બિલ લગાવતા, હટાવવા કે તેના દરમાં પરિવર્તન કરવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.
કુદરતી ગેસ અને પેટ્રોલિયમ રાજ્ય પ્રધાને પણ લોકસભામાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી થતી કમાણી વિશે જણાવ્યું હતું. રામેશ્વર તેલી ના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020-21 માં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર વસુલવામાં આવતા વેરા થી 88 ટકામાં વધારો થયો છે.
પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 19.98 રૂપિયાથી વધીને 32.90 થઈ ગઈ છે. જ્યારે ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 15.83 રૂપિયાથી વધીને 31.80 રૂપિયા થઈ ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!