રાજકારણમાં કોનો પ્રભાવ વધારે ? હાર્દિક પટેલ કે ગોપાલ ઇટાલીયા !
ગુજરાતમાં AAP એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે, હાર્દિક પટેલે જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ તો ભાજપ નેતા ભરત ડાંગરેએ કહ્યું કે, આપ અને કોંગ્રેસ એક જ ટીમ છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજનીતિ તેજ બની છે. ત્યારે બી ટીમને લઈને રાજકારણ ગરમાયું છે.
ભાજપની બી ટીમ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ભાજપની ટીમ છે, તો ભાજપ નેતા ભરત ડાંગરે કહ્યું કે, આપ અને કોંગ્રેસ એક જ ટીમ છે. જે બાદ ગોપાલ ઇટાલીયા જવાબ આપ્યો છે.
ગોપાલ ઇટાલીયા કહ્યું હતું કે, જે લોકો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની દાવેદારી ની લાઈનમાં ઊભા છે. તે લોકો આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે, અને કોંગ્રેસના અનેક નેતાઓ આપને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરી ચૂક્યા છે.
રાહુલ ગાંધી ની નજર માં આવવા માટે કોંગ્રેસના નેતા આવું કરી રહ્યા હોઈ શકે. સાથે ગોપાલ ઇટાલીયા એ કોંગ્રેસ પાર્ટીના અને નકારી દીધી હતી. તેમને જણાવ્યું હતું કે, લોકોએ જ જેમને ડબ્બામા નાખી દીધા છે, તેવી પાર્ટીના નેતા ના નિવેદનને અમે ધ્યાનમાં લેતા નથી.
અમારી લડત માત્ર ભાજપ વિરુદ્ધ છે.થોડા દિવસ પહેલા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તેવા સમાચાર ફેલાતા થયા હતા. જે બાદ હાર્દિક પટેલે આ ખુલાસો કરવાની ફરજ પડી હતી.
તેમને આમ આદમી પાર્ટીમાં જોડાવવા ને લઈને સ્પષ્ટતા કરી દીધી હતી તેમને કહ્યું હતું કે, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!