વરસાદને લઈને કોની આગાહી સાચી પડશે ? અંબાલાલ પટેલની કે, હવામાન વિભાગની..
રાજ્યમાં વરસાદ ખેંચાયો છે, તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે પણ ખેડૂતોને વરસાદ ખેંચાતા સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાત પણ કરી છે. તો રાજ્યમાં વરસાદ ખેંચાયો હોવાના કારણે જળ સંકટ પણ ઉભું થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે, આને કારણે લોકો દિવસેને દિવસે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. સાથે ખેડૂતો ચિંતિત બની રહ્યા છે
આને કારણે પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.ત્યારે હવે લોકો અને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્ય પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
તો બીજી તરફ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના અનેક વિસ્તારમાંથી સામાન્ય વરસાદ પડી શકે છે. સાથે જ રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધી સારો વરસાદ થઇ શકે છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, ચોમાસાની પૂર્વીય રેખા નિયમિત માર્ગ પર છે. ઉત્તરીય રેખા દક્ષિણ તરફ મંડાયેલી છે. જેથી તે 15 ઓગસ્ટના રોજ તેના નિર્ધારિત દક્ષિણ પર આવશે, અને તેના કારણે 18 ઓગસ્ટના રોજ વરસાદ માટે સાનુકૂળ ગણી શકાય.
હવામાન વિભાગની આગાહી ની સામે અંબાલાલ પટેલ નું કેવું છે કે, આજથી રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે, સાથે જ રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ સુધી સારા વરસાદની શક્યતા છે.
આ વરસાદને કારણે રાજ્યના ખેડૂતોના પાક બચી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે, હવામાન વિભાગની આગાહી સાચી પડે છે ? કે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી તે સાચી પડે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!