ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી કેમ અપનાવાય ? ભાજપને શું આ નેતાનો છે ડર !
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળ ની જાહેરાત થઈ ગઈ અહેવાલો મુજબ ભાજપ દ્વારા અપનાવવામાં આવી છે. અને અગાઉની સરકારમાં મંત્રી હોય તેમના ફરીથી સ્થાન ન મળ્યું અને સ્પીકર પણ બદલી નાખવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં મોટાભાગના પ્રધાનોને પ્રથમ વખત સરકારમાં જવાબદારી મળી છે.
જ્યારે અમુક રાજકીય દ્રષ્ટિએ પણ બિન અનુભવી છે. ભાજપ દ્વારા તાજેતરના પરિવર્તનને નવા નેતૃત્વને નિખારવા તથા સંગઠન સરકાર ની જરૂરિયાત જણાવવામાં આવી રહી છે.
શા માટે નો-રિપીટ ?
ગુજરાત અને કદાચ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે, ચાલુ વિધાનસભા દરમિયાન એક મુખ્યમંત્રી રાજીનામું આપે તેમજ પક્ષના બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી બને છતાં અગાઉની સરકાર કોઈપણ પ્રધાન અને તેમાં સમાવેશ કરવામાં ન આવ્યો હોય.
ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તા ઉપર છે. એટલે રાજ્યવ્યાપી નહીં તો અમુક વિસ્તારોમાં કે સમાજમાં સત્તા વિરોધી વલણ આવી શકે છે. આવા સંજોગોમાં નવા ચહેરાને સ્થાન તથા નેતૃત્વ પરિવર્તન એ સફળ ફોર્મ્યુલા છે. અને ભાજપ દ્વારા તેજ અપનાવવામાં આવી છે.
નો રિપીટ પહેલી વાર નહીં
ગુજરાતમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી હોવાનું આ પહેલો કિસ્સો નથી આ પહેલા પણ ભાજપે પ્રયોગ કરી ચૂક્યો છે. અને 2010ની મહાનગર પાલિકાની ચૂંટણી સમયે તમામ કોર્પોરેટ ની બદલી નાખવામાં આવ્યા હતા.
નો રિપીટ કેટલું રીપીટ ?
ઉપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળમાં નવા ચહેરા છે અને અગાઉ ક્યારેય પ્રધાન બન્યા હોય તેવા લોકોને સમાવેશ કરવામાં આવ્યો છે. કિરીટસિંહ રાણા, રાઘવજી પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી વગેરે અગાઉના કોઈ અને કોઈ મંત્રીમંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી કેમ અપનાવાય ? ભાજપને શું આ નેતાનો છે ડર !
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!