હાર્દિક પટેલ બાદ વધુ એક પાટીદાર દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં ? રાજકારણમાં ખળભળાટ
ગુજરાત કોંગ્રેસ એક બાદ એક ઝટકો લાગી રહ્યો છે. એક બાદ એક ધારાસભ્ય પક્ષપલટો કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની ભરતી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કહે તેવી ચર્ચા વ્યક્ત પકડ્યો છે. ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસ સાથે છેડો પાડી કેસરિયો ધારણ કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેસરીયો ધારણ કરશે તેવી અટકળો તેજ બની છે. લલિત વસોયાએ હવે આ વાતને અફવા ગણાવી છે. આ અંગે લેવો સ્પષ્ટતા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ માં દરેક પક્ષો અને નેતાઓ આવતા હોય છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે ફોટો જોઈને ફોટો અફવા ફેલાય છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કોંગ્રેસના વોટ શોપ ગ્રુપ માંથી લઈ ગયા લેફ્ટ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેમણે આ વાત ખોટી ગણાવી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટા ની અફવા એંધાણ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગમે ત્યારે કેસરીયો ધારણ કરે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મિશન 182 ને લઈને કોંગ્રેસના ધારાસભ્યો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વિધાનસભાની ચૂંટણીને માંડવે 5 મહિના રહી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની ગાદી કબજે કરવા માટે એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!