રાજકારણમાં ભૂકંપ આવવાની તૈયારીમાં / હાર્દિક પટેલ જોડાશે આમ આદમી પાર્ટીમાં ?
કોંગ્રેસમાં પ્રતિભાઓ ની સમસ્યા નથી, સમસ્યા છે પ્રતિભાવો ના યોગ્ય ઉપયોગની. જેનો સમાજ સાથે કોઈ કનેક્ટ નથી. તેમને મોટા પદ આપી દેવાઇ છે. જોઓ ગ્રાઉન્ડ પર સફળતા મેળવી ચૂક્યા છે, તેમને તક અપાતી નથી. કોંગ્રેસના છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા પરંપરાનો શિકાર યુવા નેતા હાર્દિક પટેલ પણ બન્યા છે.
પાટીદાર અનામત આંદોલનની ભવ્ય સફળતા બાદ કોંગ્રેસે તેમની વાજતેગાજતે સામૈયું કર્યું. તેમને કૉન્ગ્રેસમાં જોડાયા અને હવે પાછલી સીટમાં બેસાડી દીધા છે. હાર્દિક નાની ઉંમરના છે,
વડાપ્રધાન મોદી પછી ગુજરાતમાં સૌથી મોટી મેદની એકત્ર કરવામાં કોઇ સફળતા મેળવી હોય તો તે હાર્દિક પટેલ છે. ભલે તેમની મર્યાદાઓ હશે જ નહી, એવું નથી પરંતુ અત્યારે ગુજરાત કોંગ્રેસમાં જે રણનીતિ ઘડાઇ રહી છે.
કે હાર્દિકની નહીં કોંગ્રેસના નેતૃત્વની મર્યાદા દર્શાવે છે. 2017 ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને જે બેઠક મળી છે, તેનો યશ પાટીદાર અનામત આંદોલનમાં જાય છે.
વળી સમય સાથે હાર્દિક પટેલને બદલે સર્વ સમાજના વિશેષ કરીને યુવાન ના અને ખેડૂતોના મુદ્દા ઉપાડતા થયા છે. પરંતુ હાર્દિક ની ફરિયાદ એવી છે કે, પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં તેમને બોલાવતા નથી. મહત્વના નિર્ણય લેતા પહેલાં તેમને પૂછવામાં આવતું નથી.
પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હોવા છતાં તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણી સામે ચૂંટણી લડવા નું જોખમ ખેડીને પરાજિત થનારા નેતા ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસમાં થતી ઉપેક્ષાઓ થી કંટાળી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
એવામાં હાર્દિક પણ પાર્ટી સાથે છેડો ફાડી અન્ય પાર્ટીમાં જોડાઈ શકે છે. તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!