શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં ફરી એન્ટ્રી કરશે ? હાઈ કમાન્ડ તેમની તમામ શરતો સ્વીકારશે
ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી થઇ રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ માં ખુશી અને ગમ જેવો વાતાવરણ છે. ગુજરાતમાં હવે આગામી વર્ષમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે કોંગ્રેસ ને બેઠી કરવા માટે કેન્દ્રીય હાય કમળ શું નિર્ણય કરે તેના પર સૌની નજર રહેલી છે.
ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દા અટવાય ગયો છે. કોંગ્રેસ ના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડ અને બાપુની કોંગ્રેસમાં વાપસી માટે મનાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
અને આ બાજુ શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે.બાપુ કોંગ્રેસમાં પરત ફરવા થી સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો થી માંડીને બીજી કેટલીક શરતો પ્રમાણે કોંગ્રેસ સમક્ષ મૂકી છે, પરંતુ કોંગ્રેસ હાઈ કમાન્ડ બાપુ ની તમામ શરતોને સ્વીકારવા માટે તૈયાર નથી.
તો બીજી તરફ બાપુ પોતાની શરતો પર ટસના મસ થવા તૈયાર નથી. આ દરમિયાન ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડ ને રાજી કરવા માટે ભરપૂર પ્રયત્નો શરૂ કરી દીધા છે.
તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા હોવાનું સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!