શું આ રાજ્યમાં ફરી આવશે લોકડાઉન ની સ્થિતિ, જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન !
શું આ રાજ્યમાં ફરીથી આવશે લોકડાઉન ની સ્થિતિ ? શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રી રાકેશ ટોપ છે એ કહ્યું કે હાલમાં કોઈ પણ રાજ્યમાં લોકડાઉને લગાવવામાં આવશે નહીં. નજીકના ભવિષ્યમાં લૉકડાઉન ને લઈને કોઈ શક્યતા વર્તાઈ રહી નથી. દેશના અનેક ભાગમાં મહામારી સંક્રમણની ગતિ ધીમી પડી છે. પણ કેરળ અને મહારાષ્ટ્રના રાજ્યમાં આ સંખ્યા વધી રહી છે.
કેરળમાં સ્થિતિ ગંભીર બની છે. રોજના ત્રીસ હજારથી વધારે કેસ ફક્ત કેરળમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે સંક્રમણને કંટ્રોલ કરવા માટે ઘણી પાબંધી લાગુ કરી છે, પણ તે સફળ થઈ નથી.
મુખ્યમંત્રી પીનારાને વિજયને સંક્રમણની વચ્ચે કેરળમાં લોકડાઉન ની શક્યતાને નકારી છે. મુખ્યમંત્રી કાર્યાલયના અનુસાર સીએમ વિજય કેરળમાં લોકડાઉન કરવાના મૂડમાં નથી.
કેમ કે, તેનાથી મોટું સંકટ આવી શકે છે. સીએમ ઓફિસ એ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયને પૂર્ણ લોકડાઉન ની વાત નકારી છે. આ રાજ્યની અર્થવ્યવસ્થા અને લોકોને આજીવિકા પર મુશ્કેલી આવી શકે છે.
સરકારે લોકડાઉન ની સંભાવના ને નકારી છે. આ પહેલા સરકારે આદેશ આપ્યો હતો કે, રહેલા નિયમોનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મહામારી અધિનિયમ અને કાયદાકીય કાર્યવાહી કરવાના પણ આદેશો આપ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં લોકડાઉન ની શક્યતા નકારી છે. એવામાં ગણેશ ઉત્સવમાં ભીડ ન કરવાની પણ અપીલ આપવામાં આવી છે. તેમજ લોકોને ફરજીયાત માસ્ક પહેવાનું સૂચન કર્યું છે, અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું કહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!