Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપ આકરા પાણીએ, વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત.. - GUJJUFAN

આપ આકરા પાણીએ, વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત..

ખેડૂતો અને પશુપાલકો મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવ્યું છે. 12 કલાક વીજળી નહીં મળે ત્યાં સુધી બિલ નહીં ભરે તેવી આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં હાલ એક તરફ ખેડૂતો વિજળી અને સિંચાઈના પાણી મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે. તો બીજી તરફ પશુપાલકો અને રખડતા ઢોરના મુદ્દે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે,

ચૂંટણી નજીક છે તે માટે વિપક્ષ તમામ મુદ્દાઓને ભરપૂર સમર્થન આપી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોને વીજળી આપવા મામલે આમ આદમી પાર્ટી આકરા પાણીએ આવી છે.

12 કલાક વીજળી નહીં મળે ત્યાં સુધી બિલ નહીં ભરે તેવી આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો અને પશુપાલનના મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે.

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે ત્યાં સુધી બિલ નહી ભરે. આ સાથે એ પણ જણાવ્યું હતું કે વીજ કંપનીઓ ખેડૂતોના કનેક્શન કાપશે, તો આમ આદમી પાર્ટી કનેક્શન જોડ છે.

સરકારી કર્મચારીઓને ગામ અને ખેતર માં પ્રવેશ ન આપવા માટે આમ આદમી પાર્ટીએ અપીલ કરી છે. વિજય સમસ્યાના સમાધાન અલ્ટીમેટમ આપ્યું છે હવે પૂરું થવા જઈ રહ્યું છે.

ત્યારે ખેડૂતોને પૂરતી વીજળીની માગમાં આજે મહત્વની બેઠક યોજવા જઇ રહી છે. ઉર્જા મંત્રી એ વીજળી મામલે ચર્ચા કરવા આવા પ્રતિનિધિને આમંત્રણ આપ્યું છે. ખેડૂતો એક જ છે કે સરકાર દ્વારા કલાકમાં વીજળી આપવામાં આવે અને સિંચાઇના પાણી માટે પૂરતી વ્યવસ્થા આપવામાં આવે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *